તારીખ: ૧૨-૧૧-૨૦૨૨નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં પ્રથમ સત્રાંત પરીક્ષા ઉત્તરવહી નિદર્શન કરવામાં આવ્યું. જેમાં શાળાના દરેક ધોરણનાં બાળકોના વાલીઓને શાળામાં પ્રત્યક્ષ બોલાવી પોતાના બાળકના સત્રાંત પરીક્ષાની ઉત્તરવહીઓ બતાવી બાળકના પ્રગતિનો સાચો ચિતાર બતાવવામાં આવ્યો. બાળક ક્યાં ભૂલ કરે છે? કયા વિષયમાં નબળો કે સારો છે ? તેની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. હવે વાલીઓએ પોતાના બાળક પાછળ કેટલો સમય ફાળવવો તે અંગે મનોમંથન કરશે!!